અજમો આટલો બધો ઉપયોગી !

પ્રસ્તાવના: રસોડાનું આ નાનું બીજ — અજમો (અજવાયન) — રસોઈ, મુખવાસ કે ઘરગથ્થુ ઔષધરૂપે અજમો આમ તો આપણે ત્યાં સુપરિચિત છે. તેના તાત્કાલિક સારવારરૂપે તેમજ જૂનાઅને હઠીલા રોગો માટે ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપચાર તરીકે ખૂબ ઉપયોગી છે. તાત્કાલિક અને દીર્ધકાલીન રોગોમાં એ ઘણો ગુણકારી છે: વાયુનાશનક, પેઈન-નાશક, કફઘ્ન અને કૃમિનાશક એમ અનેક રીતે ઉપયોગી અજમાન …
Continue reading અજમો આટલો બધો ઉપયોગી !

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…14

૧. પ્રમેહ – (ડાયાબિટીસ) – આંમળા, હળદર, અને ગળોનું ચૂર્ણ પાંચ-પાંચ ગ્રામ સવારે – રાત્રે પાણીમાં લેવું. ૨. પાયોરિયા – ત્રિફ્ળા ગૂગળ બે- બે ગોળી ચાવી ને પાણીમાં લેવી. દશનસંસ્કાર ચૂર્ણ નું દંતમંજન કરવું અને જાત્યાદિ તેલ અથવા ઈરિમેદાદિ તેલનાં કોગળાં કરવાં. ૩. પાર્શ્વશૂળ (પડખામાં દુઃખાવો) – પુષ્કરમૂળ ચૂર્ણ મધમાં એક થી બે ગ્રામ આપવું અને શેક કરવો. …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…14

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…13

૧. રક્તપિત્ત – પત (વાતરક્ત – લેપ્રસી) – ગળો અને ગરમાળાના ઉકાળામાં દિવેલ આપવું. ૨. પથરી – પાષાણભેદનું ચૂર્ણ ૧-૧ ચમચી સવારે રાત્રે આપવું. ૩. પક્ષાઘાત – બસ્તિમાં, માલિશમાં અને પીવરાવવામાં મહાનારાયણ તેલનો ઉપયોગ કરવો. ૪. પ્રદર – પ્રદરાન્તક લોહ ૧-૧ ગ્રામ ચોખાનાં ઓસામણમાં આપવો. વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — રક્તપિત્ત, પથરી, પક્ષાઘાત અને પ્રદર માટે ઘરગથ્થુ ઉપાય રક્તપિત્ત …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…13

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…12

૧. દાંત આવવા – દંતોદ્ભેદાન્તક રસ ૧-૧ ગોળી મધમાં આપવી. બાળકનાં મસુડાં પર લીંડીપીપર અને આમળાનું બારીક ચૂર્ણ મધમાં મેળવી હળવે હાથે ઘસવું. ૨. નસકોરી – ફટકડીનું પાણી કરી નાકમાં ટીપાં નાખવાં અથવા દૂધનાં ટીપાં પાડવાં અને અરડૂસીનાં પાનનો અર્ધો કપ રસ વારંવાર આપવો. ૩. નામર્દાઈ – નપુંસકતાના રોગમાં શ્રી ગોપાલ તેલની માલિશ લિંગ ઉપર કરવી અને …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…12

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…11

૧. તૃષા (ખૂબ જ તરસ લાગતી રહે ) – જૂની ઈંટને ગરમ કરીને છમકારીને ઠંડુ કરેલું પાણી પાવું. ૨. દંતરોગ – હિંગ અને સિંધવ મેળવેલ તલતેલના કોગળા ભરવા અથવા તેનું પોતું દાઢ કે દાંત ઉપર મૂકી રાખવું. ૩. દાઝવું – રાળનો મલમ લગાડવો અથવા કુંવારપાઠાનો રસ લગાડવો. ૪. દાદર – કુંવાડિયાનાં બી લીંબુનાં રસમાં વાટીને …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…11

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…10

૧. જવર(તાવ) – આયુર્વેદ દ્રષ્ટિએ તાવ હોય ત્યાં સુધી લંઘન ( હળવો ખોરાક અથવા બિલકુલ ઉપવાસ) કરાવવાં અને કરિયાતું નો ઊકાળો આપતાં રહેવું. ૨. જીર્ણજવર – ખૂબ જ જૂના તાવમાં ગાયનાં દૂધમાં ગળો સત્વ એક ગ્રામ દિવસમાં ત્રણ વખત આપવું. ૩. ઝેર – કોઈપણ પ્રકારનાં ઝેરમાં ઘી સાથે શિરીષ(સરસડો)નાં બીનું ચૂર્ણ ૧–૨ ગ્રામ વારંવાર આપવું. …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…10

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…9

૧. ગૂમડાં – લીમડાનાં સૂકાં પાન બાળી, તેની રાખ લીંબોળીનાં તેલમાં મિક્સ કરીને લગાડવી. લીમડાનો રસ પણ પીવડાવવો. ૨. ગેસ – શિવાક્ષાર પાચન ચૂર્ણ ૨ થી ૪ ગ્રામ પાણી સાથે દિવસમાં બે વખત લેવું. ૩. ગોળો – તલતેલમાં પકાવેલું લસણ ખાવા આપવું. પેટ પર દિવેલ ચોળી, વરાળીયો શેક કરવો. ૪. ચામડીનારોગ – ચામડીના તમામ રોગોમાં …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…9

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…8

૧. ખીલ – લોધર, ધાણા, સરસવ અને વજનો લેપ લીમડાના રસમાં દિવસે કરવો. ૨. ખૂજલી – સરસવ તેલની માલિશ કરવી અને તમામ ખટાશ બંધ કરવી. ૩. ગ્રહણી – કેવળ છાશ ઊપર રહીને (છાશ વટી કરીને) છાશ સાથે પંચામૃત પર્પટી અર્ધો ગ્રામ સવારે – સાંજે લેવી. ૪. ગાંડપણ – જૂનાં ઘીમાં પકાવેલ બ્રાહ્મીઘૃત આપવું ને ખોરાકમાં ગાયનું ખૂબ જૂનું ઘી …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…8

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…7

૧. કોઢ – ચામડીનાં કોઈપણ રોગમાં મંજિષ્ઠાદિ ક્વાથ સાથે ખેરસાર એક-એક ગ્રામ લેવો તથા ખેરસાર લગાડવો. ૨. કોલેરા – પુષ્કળ પ્રમાણમાં લીંબુનાં રસ સાથે સંજીવની વટી બે- બે ગોળી આપવી. ૩. ક્ષય (ટી.બી.) – બકરીનું દૂધ, માખણ, ઘી, માંસ, વગેરે ખોરાકમાં લેવાં અને તેના યોગ્ય ઔષધો સાથે લેવાં. ૪. ખરજવું – લીમડાનાં બાફેલાં પાન બાંધ્યાં કરવાં અને લીમડાનો અર્ધો …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…7

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…6

૧. કૃમિ – કરમિયાં – ચરમિયાંમાં ગળપણ ખાવાનું બંધ કરાવી, વાવડિંગનું ચૂર્ણ મધ સાથે દિવસમાં ત્રણ વખત આપવું. ૨. કૃશતા (વજન ઓછું હોવું) – દૂધમાં પકાવેલ અશ્વગંધા ચૂર્ણની (મોટી માત્રામાં) ખીર બનાવીને સવારે – રાત્રે આપવી. તેમાં સ્વાદ માટે જરૂર પ્રમાણે સાકર નાંખવી. ૩. કંઠમાળ – કાંચનાર ગૂગળની ત્રણ ત્રણ ગોળી દિવસ માં ત્રણ વખત …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…6