અજીર્ણ (Ajirna – Indigestion)

આજના સમયની અંદર અજીર્ણ નો રોગ થવો એ ખૂબ જ સામાન્ય વાત છે. શહેરી જીવન શૈલી અને આધુનિક જીવનશૈલી એ તેના મુખ્ય કારણો છે. આજના કાળમાં શારીરિક શ્રમ જ્યારે ખૂબ જ ઓછો થયો છે અને સાથે સાથે સુખ સગવડતાઓ ખૂબ વધી છે અને જીવનશૈલી પણ તદ્દન અનિયમિત થઇ હોય તેવા સ્થિતિમાં પાચનતંત્ર એ પોતાની સ્થિતિ …
Continue reading અજીર્ણ (Ajirna – Indigestion)

રસોડાનું ઔષધ હિંગ

શૂળ – શરીરમાં ક્યાંય પણ આંતરબાહ્ય શૂળ નીકળતું હોય તેમાં હિંગ પિવરાવવી અને ઉપર લેપ કરવો. જેમ કે, દાઢમાં દુખતુ હોય તો દાઢમાં પોતું મૂકવું અને ગાલ ઉપર ચોપડવી. પેટમાં દુખતુ હોય તો હિંગને દિવેલમાં ગરમ કરી પેટ પર ચોળવી અને હિંગની કે હિંગાષ્ટકની ફાંકી આપવી. ગામડામાં ઉદરશૂળના ભયંકર દુખાવામાં ઘોડા કે ગધેડાની લાદના રસમાં …
Continue reading રસોડાનું ઔષધ હિંગ

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…23

૧. શરદી – સળેખમ – લઘુ-ઉષ્ણ ભોજન સાથે આદુનાં રસનું સેવન કરવું. ૨. શિર-શૂળ – માથાનાં દુખાવામાં સૂંઠનો ટુકડો દૂધમાં ઘસી એનાં ટીપાં નાકમાં નાખવાં (નસ્ય લેવું) અને સૂંઠનો દૂધમાં લેપ કપાળે કરવો. ૩. શીળસ – સરસવ તેલ શરીરે ચોળવું – મરીનું ચૂર્ણ ઘીમાં ચટાડવું અથવા મરિચ્ચાદિ તેલ ચોળવું અને હરિદ્રાખંડનું સેવન કરવું, અજમાનું ચૂર્ણ …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…23

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…22

૧. વાળો – સાચી હિંગનો લેપ વાળા ઉપર કરવો અને હિંગનું ચૂર્ણ એક એક ગ્રામ સવારે – રાત્રે પાણી સાથે પીવું. ૨. વાતરોગ – વાયુના એંશી પ્રકારનાં રોગોમાં તલતેલમાં કકડાવેલું લસણ શકય તેટલું વધુ રોજ ખાવું. અને આમવાત સિવાયના વાયુના રોગોમાં તે તેલ વડે માલિશ કરવી. ૩. વીંછીવિષ – નિર્મળીનું બી ઘસીને ચોપડવું અથવા ડંશ …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…22

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…11

૧. તૃષા (ખૂબ જ તરસ લાગતી રહે ) – જૂની ઈંટને ગરમ કરીને છમકારીને ઠંડુ કરેલું પાણી પાવું. ૨. દંતરોગ – હિંગ અને સિંધવ મેળવેલ તલતેલના કોગળા ભરવા અથવા તેનું પોતું દાઢ કે દાંત ઉપર મૂકી રાખવું. ૩. દાઝવું – રાળનો મલમ લગાડવો અથવા કુંવારપાઠાનો રસ લગાડવો. ૪. દાદર – કુંવાડિયાનાં બી લીંબુનાં રસમાં વાટીને …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…11