આજના સમયની અંદર અજીર્ણ નો રોગ થવો એ ખૂબ જ સામાન્ય વાત છે. શહેરી જીવન શૈલી અને આધુનિક જીવનશૈલી એ તેના મુખ્ય કારણો છે. આજના કાળમાં શારીરિક શ્રમ જ્યારે ખૂબ જ ઓછો થયો છે અને સાથે સાથે સુખ સગવડતાઓ ખૂબ વધી છે અને જીવનશૈલી પણ તદ્દન અનિયમિત થઇ હોય તેવા સ્થિતિમાં પાચનતંત્ર એ પોતાની સ્થિતિ જાળવી રાખે તે કોઇપણ કાળે શક્ય થતું નથી અને આપણે થવા દેતા પણ નથી.
પોતાની ક્ષમતાથી વધારે જ્યારે પાચનતંત્ર પર આફતો આવે છે ત્યારે તે અજીર્ણ જેવા રોગ થી આપણું શરીર પીડાય છે. ધીમે ધીમે વધારો આ રોગ શરૂઆતમાં આપણને ખબર પડતી નથી અને ત્યાર પછી તે અપચાના સ્વરૂપે ઘર કરી જાય છે. આયુર્વેદની નિયમિત અને વ્યવસ્થિત સારવાર આપણને ચોક્કસ આ રોગ માંથી બહાર કાઢી શકે છે તેના કારણો, લક્ષણો વગેરે વિશે જોઈએ.
કારણો – વધારે પડતું પાણી પીવું, અકાળે ભોજન કરવું, મલ મૂત્ર વગેરેનો અવરોધ કરવો, અનિયમિત નિદ્રા કરવી. થોડું ખાવું વધારે ખાવું, સમયસર ન ખાવું, કાચુ અથવા તો દાઝેલું ખાવું, ભૂખ લાગી હોય ત્યારે ન જમવું. ભૂખ ન લાગતી હોય તો પણ જમવા. આ બધા કારણોથી અજીર્ણ એટલે કે અપચો થાય છે.
લક્ષણો-
પેટમાં દુખે, પેટ ફુલી જવું, વારંવાર ઓડકાર આવવા, બેચેની લાગવી, ઝીણો તાવ રહેવો, કબજિયાત રહેવી, ગેસ ન છૂટવો.
આયુર્વેદમાં અજીર્ણ ના અલગ અલગ પ્રકાર વર્ણવેલા છે અને તે પ્રમાણે તેની અલગ અલગ સારવાર પણ બતાવેલી છે. અજીર્ણના ચાર પ્રકાર આ પ્રમાણે છે.
1. આમાજીર્ણ
2. વિદગ્ધાજીર્ણ
3. વિષ્ટબ્ધાજીર્ણ
4. રસશેષાજીર્ણ
આ તમામ પ્રકારમાં મંદાગ્નિ થવો તે મૂળભૂત છે, તેથી અગ્નિ પ્રદિપ્ત થાય તે પ્રકારના અવશધી આમાં લાભદાયક રહે છે. સામાન્ય તકલીફમાં તમે અલગ-અલગ પ્રયોગો કરીને જાતે જ સારવાર કરી શકું છું પણ જો રોગ લાંબો હોય ઘણો જૂનો હોય અને લક્ષણો વધારે હોય તો તેવા સંજોગોમાં સારા આયુર્વેદિક ચિકિત્સક ની સારવાર લેવી મહત્વની બની રહે છે. વળી રોગના કાયમી જળ મૂળ માંથી ઈલાજ માટે પણ તેના નિષ્ણાતની સલાહથી સારવાર થાય તો તે લાભપ્રદ વધારે બને છે.
અજીર્ણમાં હીંગાષ્ટક ચૂર્ણ, લવણભાસ્કર ચૂર્ણ, શંખવટી વગેરે જેવા સામાન્ય ઔષધો અને તે સિવાય ઘણાં બધા શાસ્ત્રોક્ત ઔષધોની ગોઠવણથી રોગમુક્તિ થાય છે.
કેટલાક ઘરગથ્થુ ઉપાયો –
1. પાકેલા અનાનસના નાના-નાના ટુકડા કરીને તેની ઉપર મરી અને સીંધાલુંણ છાંટીને ખાવા માટે આપવું..
2. લીંબુની વચ્ચેથી ફાડ કરીને તેમાં સંચળ, સૂંઠ, થોડી હિંગ ભરીને અગ્નિ ઉપર થોડું શેકાવા દેવું અને પછી ઠંડુ થાય એટલે ચૂસી જવું.
3. જમતા પહેલા આદુની ચિપ્સ પર સંચળ, કાળા મરી અને લીંબુનો રસ લગાવીને 10 મિનિટ પહેલા ચાવી જવું. જે પાચન અગ્નિ પ્રદીપ્ત થાય છે અને અજીર્ણમાં ફાયદો થાય છે.
4.સૂંઠ અને ગોળ અથવા સૂંઠ અને સાકર લેવી.
5. લવિંગ અને બાળ હરડે નો ઉકાળો કરી તેમાં થોડું સિંધાલૂણ નાખીને પી જવું.
6. ધાણા અને સૂંઠનો ઉકાળો આપવો. ખાસ કરીને ઝીણો તાવ રહેતો હોય અને અજીર્ણ રહેતું હોય ત્યારે ફાયદાકારક છે.
પંચકર્મ સારવાર
પંચકર્મ સારવાર દ્વારા શરીરની શુદ્ધિ કરીને જો દવા લેવામાં આવે તો તે વધારે ઝડપથી અસરકારક બને છે.
વમન કર્મ
વિરેચન કર્મ
અને પછી લંઘન કરાવવું.
પથ્ય –
અગ્નિને પ્રદીપ્ત કરનાર આ અને હલકા પદાર્થ લેવા. જુના મગ, લાલ ચોખા, કુમળા મૂળા, લસણ, જૂનું કોળું, સરગવાની સિંગ, પરવળ, રીંગણ, આમળા, નારંગી, દાડમ, લીંબુ, મધ, માખણ, ઘી, છાશ, મીઠું, દહીં, આદુ, હિંગ, અજમો, મેથી, ધાણા, નાગરવેલના પાન, ઉકાળેલું સહેજ ગરમ પાણી, કડવા તીખા અને ખાટા સ્વાદવાળા દ્રવ્યો.
અપથ્ય
મલ, મૂત્ર અને વાયુના વેગને રોકવા નહીં, અતિ ભોજન, અલ્પ ભોજન, અનિયમિત ભોજન, બજારનાં નાસ્તા, જંકફૂડ, જાંબુ, વાસી ખોરાક, વિરુદ્ધ આહાર, અળવીના પાન, ઉજાગરા વગેરે નો ત્યાગ કરવો.
વધુ માહિતી માટે સંપર્ક કરો..
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo
અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स – http://bit.ly/htipsyt
વંધ્યત્વ – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ – http://bit.ly/gtipsyt
English Tips – http://bit.ly/etipsyt
English Talk – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://rebrand.ly/Drnikulpatel_app
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com
Comments