અજીર્ણ (અપચો) : કારણો, લક્ષણો અને આયુર્વેદિક સારવાર

Share with:


English
हिन्दी

અજીર્ણ (Ajirna – Indigestion)

આજના સમયમાં અજીર્ણ થવું એ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આધુનિક અને શહેરી જીવનશૈલી અજીર્ણનું મુખ્ય કારણ છે. આજના યુગમાં શારીરિક શ્રમ ખૂબ જ ઓછો થયો છે, જ્યારે સુખ-સગવડતાઓમાં અતિશય વધારો થયો છે. અનિયમિત દિનચર્યા, ખોરાકના ખોટા સમય અને અયોગ્ય આહારના કારણે પાચનતંત્ર પોતાની સ્વાભાવિક કાર્યક્ષમતાને જાળવી રાખી શકતું નથી. આવી પરિસ્થિતિમાં પાચન અગ્નિ ધીમે ધીમે મંદ થવા લાગે છે અને પરિણામે અજીર્ણ જેવી તકલીફ ઉદ્ભવે છે.

જ્યારે પાચનતંત્ર પર તેની ક્ષમતાથી વધારે ભાર પડે છે ત્યારે શરીર અજીર્ણ દ્વારા તેની પ્રતિક્રિયા વ્યક્ત કરે છે. આ રોગ ધીમે ધીમે વધતો હોવાથી શરૂઆતમાં વ્યક્તિને ખાસ ખ્યાલ આવતો નથી, પરંતુ સમય જતા તે અપચાના સ્વરૂપે ગંભીર બની જાય છે. આયુર્વેદમાં અજીર્ણ માટે નિયમિત, સુવ્યવસ્થિત અને મૂળ કારણ આધારિત સારવાર ઉપલબ્ધ છે, જેના દ્વારા આ રોગમાંથી નિશ્ચિત રીતે બહાર આવી શકાય છે.

અજીર્ણ થવાના કારણો

  • અતિશય પાણી પીવું
  • અકાળે અથવા અનિયમિત સમયે ભોજન કરવું
  • મલ, મૂત્ર કે વાયુના વેગને રોકવો
  • અનિયમિત અથવા અપૂરતી નિદ્રા
  • ઓછું ખાવું કે વધારે ખાવું
  • સમયસર ભોજન ન કરવું
  • કાચું, બળેલું અથવા વાસી ખોરાક લેવો
  • ભૂખ લાગી હોવા છતાં ન જમવું
  • ભૂખ ન લાગી હોવા છતાં જમવું

આ તમામ કારણો પાચન અગ્નિને નબળી પાડે છે અને પરિણામે અજીર્ણ એટલે કે અપચો થાય છે.

અજીર્ણના લક્ષણો

  • પેટમાં દુખાવો
  • પેટ ફૂલવું
  • વારંવાર ઓડકાર આવવું
  • બેચેની લાગવી
  • ઝીણો તાવ રહેવું
  • કબજિયાત
  • ગેસ ન છૂટવો

આયુર્વેદ મુજબ અજીર્ણના પ્રકાર

આયુર્વેદમાં અજીર્ણના ચાર પ્રકાર વર્ણવેલા છે, અને દરેક પ્રકાર માટે અલગ સારવાર પદ્ધતિ દર્શાવવામાં આવી છે.

  1. આમાજીર્ણ
  2. વિદગ્ધાજીર્ણ
  3. વિષ્ટબ્ધાજીર્ણ
  4. રસશેષાજીર્ણ

આ તમામ પ્રકારોમાં મંદાગ્નિ મુખ્ય કારણ છે. તેથી પાચન અગ્નિને પ્રદીપ્ત કરનાર ઔષધિઓ અજીર્ણમાં વિશેષ લાભદાયક સાબિત થાય છે. સામાન્ય તકલીફોમાં ઘરગથ્થુ ઉપાયો દ્વારા જાતે સારવાર કરી શકાય છે, પરંતુ જો રોગ લાંબા સમયથી ચાલતો હોય, ખૂબ જૂનો હોય અથવા લક્ષણો વધારે ગંભીર હોય, તો અનુભવી આયુર્વેદિક ચિકિત્સકની સારવાર લેવી અત્યંત જરૂરી છે. રોગને મૂળમાંથી નાબૂદ કરવા માટે નિષ્ણાતની સલાહથી લેવાયેલી સારવાર વધુ લાભદાયક બને છે.

અજીર્ણમાં ઉપયોગી આયુર્વેદિક ઔષધિઓ

  • હીંગાષ્ટક ચૂર્ણ
  • લવણભાસ્કર ચૂર્ણ
  • શંખવટી
  • તથા અન્ય અનેક શાસ્ત્રોક્ત ઔષધિઓ

યોગ્ય ઔષધિ ગોઠવણ દ્વારા અજીર્ણમાંથી સંપૂર્ણ રાહત મેળવી શકાય છે.

અજીર્ણ માટે ઘરગથ્થુ ઉપાયો

  1. પાકેલા અનાનસના નાના ટુકડાઓ પર મરી અને સિંધાલૂણ છાંટી ખાવા.
  2. લીંબુને વચ્ચેથી ફાડી તેમાં સંચળ, સૂંઠ અને થોડી હિંગ ભરી હળવે શેકી ઠંડું થયા પછી ચૂસવું.
  3. જમતા પહેલાં આદુની ચિપ્સ પર સંચળ, કાળા મરી અને લીંબુનો રસ લગાવી 10 મિનિટ પહેલા ચાવવું.
  4. સૂંઠ અને ગોળ અથવા સૂંઠ અને સાકર લેવાં.
  5. લવિંગ અને બાળ હરડેનો ઉકાળો બનાવી તેમાં થોડું સિંધાલૂણ નાખી પીવો.
  6. ધાણા અને સૂંઠનો ઉકાળો પીવો, ખાસ કરીને અજીર્ણ સાથે ઝીણો તાવ રહેતો હોય ત્યારે.

પંચકર્મ સારવાર

પંચકર્મ દ્વારા શરીરની શુદ્ધિ કરીને દવાઓ લેવાય તો તેની અસર ઝડપી અને ઊંડાણપૂર્વક થાય છે.

  • વમન કર્મ
  • વિરેચન કર્મ
  • ત્યારબાદ લંઘન કરાવવું

પથ્ય (લાભદાયક આહાર)

પાચન અગ્નિને પ્રદીપ્ત કરનાર હલકા અને સરળ પદાર્થો લેવાં:
જુના મગ, લાલ ચોખા, કુમળા મૂળા, લસણ, જૂનું કોળું, સરગવાની સિંગ, પરવળ, રીંગણ, આમળા, નારંગી, દાડમ, લીંબુ, મધ, માખણ, ઘી, છાશ, મીઠું, દહીં, આદુ, હિંગ, અજમો, મેથી, ધાણા, નાગરવેલના પાન, ઉકાળેલું સહેજ ગરમ પાણી તથા કડવા, તીખા અને ખાટા સ્વાદવાળા પદાર્થો.

અપથ્ય (ત્યાજ્ય આહાર અને આચરણ)

  • મલ, મૂત્ર અને વાયુના વેગને રોકવા નહીં
  • અતિભોજન અથવા અલ્પભોજન
  • અનિયમિત ભોજન
  • બજારનાં નાસ્તા અને જંકફૂડ
  • વાસી ખોરાક
  • વિરુદ્ધ આહાર
  • અળવીના પાન
  • ઉજાગરા

#અજીર્ણ #અપચો #Ayurveda #DigestiveHealth #Mandagni #Ajirna #Indigestion #PachanAgni #AyurvedicTreatment #NaturalHealing #Panchkarma #GasProblem #GutHealth #AyurvedicMedicine #HolisticHealth #StomachHealth #HealthyDigestion #IndianAyurveda #DigestiveCare #GasAndAcidity #ConstipationRelief #AyurvedaLife #WellnessJourney #NaturalCure #HealthTips

Frequently Asked Questions

અજીર્ણ એટલે શું?

પાચન અગ્નિ મંદ થવાથી થતી અપચાની સ્થિતિને અજીર્ણ કહે છે.

અજીર્ણના મુખ્ય લક્ષણો કયા છે?

પેટ દુખાવો, ફૂલવું, ગેસ, કબજિયાત અને બેચેની.

અજીર્ણ માટે આયુર્વેદ અસરકારક છે?

હા, આયુર્વેદ મૂળ કારણ એટલે કે મંદાગ્નિ પર કામ કરે છે.

ઘરગથ્થુ ઉપાયો ક્યારે પૂરતા થાય છે?

શરૂઆતની તકલીફમાં ઘરગથ્થુ ઉપાયો લાભદાયક છે.

પંચકર્મ ક્યારે જરૂરી બને છે?

લાંબા સમયથી ચાલતા અથવા વારંવાર થતા અજીર્ણમાં.


ચેતવણી – બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખું, ખારું અને ખાટું ન લેવું. અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ સામાન્ય રીતે બજારમાં મળતી અને મોટાભાગના લોકો લઇ શકે તે રીતે જ આપવામાં આવે છે.
બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તાની અસર પરિણામ પર પડી શકે છે.
ચોક્કસ અને ઝડપી પરિણામ માટે રૂબરૂ અથવા ઓનલાઇન કન્સલ્ટેશન કરાવીને અમારી પાસે બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને સારવાર મેળવી શકાય છે.


VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સી ની ઉપર,
કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ 380008
સમય: સોમ થી શુક્ર — 10:00 થી 18:30
યૂટ્યુબ:
આયુર્વેદ ચેનલ,
સેક્સોલોજીસ્ટ
વેબસાઇટ્સ:
lifecareayurveda.com
Gujarati Portal
Gujarati Q&A

Share with:


Comments

Leave a Reply