વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

30,882 users

ગર્ભવતી સ્ત્રી માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો - garbhvati stree ae dyan ma rakhava jevi babat -

1 Answer

 
Best answer

ગર્ભવતી સ્ત્રીઓએ આ પ્રમાણે ધ્યાન રાખવું જોઇએ.

  • તીખું, ખારૂં, ખાટું બિલકુલ ઓછું લેવું.
  • મુખ્યત્વે ગળ્યો, રુચિકર, મનને ગમે તેવો હલવો ખોરાક લેવો. ખોરાકની સાથે દૂધ (શક્યતઃ ગાયનું), કેરીનો રસ, નાળીયેરનું પાણી, શીરો (રાબ) તેમજ સારો, સાત્વિક, પૌષ્ટિક અને ઝડપથી પચે તેવો ખોરાક લેવો.
  • ઉપવાસ - એકટાણાં ન કરવાં.
  • એકસાથે વધારે ન જમતાં થોડું - થોડું સમયાંતરે જમવું.
  • ચા-કોફી તેમજ અન્ય વ્યસન હોય તો તેનાથી દૂર રહેવુ.
  • વાયુ કરે તેવા વાલ, વટાણાં, પાપડી, ચોળી, ચણાં, બટાટાં વધારે ન લેવાં. વધારે તીખું, ખારૂં, ખાટું, તળેલું, આથેલું ન લેવું.
  • દહીં, ફ્રીજનું પાણી, ફ્રીજમાં મૂકેલી વસ્તુઓ ન લેવી. હંમેશા તાજો જ આહાર લેવો.
  • ફ્રૂટ તેમજ દૂધની વાનગીઓ વધારે લેવી.
  • આરામ રાખવો. વજન ઊંચકવું નહિં, મુસાફરી કરવી નહિં. વધારે પરિશ્રમ કરવો નહિં.
  • પવિત્ર અને સ્વચ્છ વસ્ત્રો પહેરવાં. નિયમિત રીતે પૂજન-પ્રાર્થના અને સત્સંગ માં વ્યસ્ત રહેવું.
  • ઘોંઘાટ, ઝઘડાં વગેરે મોટા અવાજ વાળાં સ્થળથી દૂર રહેવુ.
  • સારું બોલવુ, સારું સંભળવું,. સારું જોવું અને સારું વિચારવું.
  • નિયમિત દવાનું સેવન કરવું
  • ઉજાગરાં કરવાં નહિ. સંયમ પાળવો. કઠણ પથારી પર સૂવું નહિં કે જમીન પર પથારી કરીને સૂવું નહિં.
  • દુર્ગંધિત જગ્યાએથી દૂર રહેવું.
  • ગુસ્સો, ચિંતા, શોક કરવાં નહિં. હંમેશા આનંદમાં રહેવુ.
  • પોતાના બાળકને કેવું બનાવવું છે તે અનુસાર મનને કેળવવું અને તે માટે તે જ પ્રકારનું વાંચન અને મનન- ચિંતન રાખવું.
  • વાસી ખોરાક ન લેવો. મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી.
  • અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ ન લેવી.
  • દહીં, છાશ, લિંબુ, ટામેટાં, આમલી, કોકમ વગેરે તમામ ખટાશ બંધ કરવી
  • ખાવાના સોડાવાળી વસ્તુઓ જેવી કે ગાંઠીયા ફાફડાં, ખમણ, ભજીયા તેમજ અન્ય ફરસાણ ન લેવાં. પીવાની સોડા અને ઠંડા પીણાંથી દૂર રહેવું.
  • બહારનાં નાસ્તાથી દૂર રહેવું.

વિરુદ્ધ આહાર:

  • વિરુદ્ધ આહાર એ મોટાભાગના રોગ કરનારો છે, તેથી તેનાથી દૂર રહેવું. દૂધ સાથે કોઇપણ ફળો, દહીં, છાશ, લસણ, ડુંગળી, મૂળાં, ગોળ તેમજ બધી જ ખટાશ એ વિરુદ્ધ આહાર છે. દહીં સાથે ગોળ, મૂળાં વિરુદ્ધ આહાર છે.
  • દહીં વજન વધારનારૂ અને શરીરની તમામ નળીઓમાં અવરોધ કરનારું છે. તેથી રોગી માણસે તેનું સેવન ન કરવું.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

http://www.jsdl.in/DT-1111QEBKV7


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે

આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

answered Aug 2, 2013 by admin
edited Apr 10, 2018 by admin

Related questions

1 answer 14,128 views
14,128 views asked Jan 7, 2014 in જાતિય શિક્ષણ by Ritesh rana
1 answer 2,208 views
2,208 views asked Aug 5, 2013 in વંધ્યત્વ by Dipal J. Ajudiya
1 answer 694 views
694 views asked Jun 17, 2013 in જાતિય મૂંઝવણ by abchubhai
1 answer 9,917 views
9,917 views asked May 4, 2014 in માસિક સંબંધી સમસ્યા by Maitrak Pratik
1 answer 42,862 views
42,862 views asked Sep 15, 2013 in જાતિય મૂંઝવણ by Swapna
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...