નમસ્તે ! મારી ઉંમર ૨૩ વર્ષની છે અને મારા લગ્ન બાકી છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી મારાં જમણાં સ્તનમાં નિપલની નજીક એક લખોટી જેવડી ગાંઠ થઇ છે. માસિક આવવાનાં સમયે અને ઘણી વખતે ખૂબ જ ઠંડી હોય ત્યારે દુઃખાવો થાય છે. મેં અહિં ડોક્ટરને પણ ચેકઅપ કરાવ્યું તો તેમણે ફાઇબ્રોઈડનું નિદાન કર્યું છે અને ઓપરેશન કરાવવાનું કહ્યું છે, હજુ મારાં લગ્ન પણ બાકી છે અને તેથી સ્તનમાં કોઇપણ પ્રકારની સર્જરી કરાવવા માટે હું માનસિક રીતે તૈયાર નથી. આયુર્વેદ દવાઓ પણ લીધી છે પણ કોઇ ફરક પડયો નથી. મને બહુ ટેન્શન થાય છે. આપના વિશે જાણવા મળ્યું કે આપ સ્તન ની ગાંઠમાં ખૂબ સારી અને આડઅસર વિનાની સારવાર કરો છો અને તેથી આપની સલાહની મને આવશ્યકતા છે. આપ ઓપરેશન વિના મટાડી શકો તો હું આપની ખૂબ ખૂબ આભારી રહીશ. જરુર પડે તો રૂબરૂ કન્સલ્ટીંગ કરાવવા પણ આવી જઇશ.
નિમિષા શાહ - કેશોદ