હું 23 વર્ષ નો અપરિણીત યુવાન છું,હું 12 વરસ નો હતો ત્યારથી હસ્તમૈથુન કરુછું ,અને મારે ઉત્તેજનામાં કોઈજ ફરક પડતો નથી ,12 વરસનો હતો ત્યારથી અત્યાર સુધીમાં ક્યારેય બીમાર પડ્યો નથી ,અને હું હસ્તમૈથુન વિશેની ખોટી માન્યતાઓમાં ક્યારેય ફસાતો નથી ,પણ મેં 3 વરસ પહેલા એક નવી તરકીબ અજમાવી હતી કે જયારે હસ્તમૈથુન દરમિયાન સ્ખલન થવા આવે ત્યારે હું હસ્તમૈથુન રોકી દેતો હતો અને જયારે શિશ્ન નોર્મલ અવસ્થામાં આવી જાય પછી હસ્તમૈથુન ફરીથી શરુ કરતો હતો ,આવું ત્રણથી ચાર વખત થાય પછી જ સ્ખલન કરાવતો હતો પણ ત્યારે મને પેટમાં દુખાવો થતો હતો એટલે મેં એ પ્રક્રિયા બંધ કરી દીધી હતી પણ હવે મને સ્ખલન થયા પછી તરતજ શિશ્ન નોર્મલ થઈજાય છે ,કદાચ લાંબા સમયથી એકની એક પ્રક્રિયા થી પણ આવું બનતું હોય, પણ તેથી હું ચિંતિત છું, મને યોગ્ય માર્ગ દર્શન આપવા વિનંતી,અને મારે વીર્યવર્ધક આયુર્વેદિક દવાઓના નામ પણ જોઈએ છે, માટે યોગ્ય સલાહ આપવા વિનંતી.