મારી ઉંમર ૮૫ વર્ષ છે. ઉંમરના પ્રમાણમાં નીચે મુજબની તકલીફો રહે છે. તેના માટે યોગ્ય આયુર્વેદિક સારવાર બતાવશો.
(૧) ઢીંચણનો વા છે બન્ને ઘૂંટણના સાંધામાં સખત દુઃખાવો થાય છે અને કમરનો દુઃખાવો પણ થવાને કારણે ઊભું રહેવાતું નથી.
(૨) સવારે કે બપોરે સૂઈને ઉઠ્યા બાદ એકદમ ઊભા થવા જઇએ તો ચક્કર જેવું લાગે છે.
(૩) વર્ષોથી કબજિયાત રહે છે અને ખોરાક પ્રત્યે અરુચિ રહ્યા કરે છે. ઘરનું ખાવાને બદલે બજારના ફરસાણ ખાવાનું મન થયા કરે છે. તો આનાં માટે શું કરી શકાય તે વિગતવાર બતાવશો..