નમસ્તે સાહેબ
હું ૨૦ વર્ષની પરિણિત સ્ત્રી છું અને મારાં લગ્ન ત્રણ મહિના પહેલાં થયાં છે. મારો પ્રશ્ન અમારા અંગત જીવનને લગતતો છે. અમે ત્રણ મહિનાથી સાથે જ રહીએ છીએ. અને મને એવું લાગે છે કે જ્યારે હું મારા પતિ સાથે સમાગમ કરું છું ત્યારે મારી યોનિપટલ નો પડદો અત્યાર સુધી તૂટ્યો નથી અને જ્યારે પણ અમે સમાગમ માટે પ્રયત્ન કરીએ છીએ ત્યારે મને યોનિના ભાગે અસહ્ય દુઃખાવો થાય છે જેને કારણે મારા પતિ પ્રયત્ન કરવાની હિંમત કરી શકતા નથી. તેથી તેમના લિંગનો યોનિપ્રવેશ થઇ શકતો નથી. મારા પતિ મારી યોનિની જગ્યાને ક્યારેક આંગળી નાંખીને પહોળું કરવાનો પ્રયત્ન કરે છે પણ દુઃખાવો થવાને કારણે તે પણ શક્ય નથી બન્યું.
મારા શરીરનો વિકાસ પૂરતો થયેલો છે. યોગ્ય સમયે માસિક પણ આવી ગયા હતા અને તે પણ નિયમિત જ છે, મારા સ્તનનો વિકાસ પણ સમયસર અને યોગ્ય પ્રમાણમાં થયેલો છે. તેથી મારા શરીર કે યોનિના ભાગમાં વિકાસને લગતી તકલીફ હોય તેવું લાગતું નથી.
અમારી આ સમસ્યાથી અમે ખૂબ દુઃખી છીએ. અને મારા પતિ ખૂબ જ નિરાશ રહે છે. અમે બીજું કંઈ વધારે જાણતા નથી તો આપ આ યોનિપટલ નો પડદો તૂટે અને અમે યોગ્ય રીતે સમાગમનો આનંદ લઇ શકીએ તે માટે યોગ્ય માર્ગદર્શન આપશો. તેના માટે કોઇ ઓપરેશન કરાવવું પડે કે ? મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરે છે અને હું ઇચ્છું છું કે હું મારા પતિને સારામાં સારી રીતે સમાગમ સુખ આપી શકું. મારા આ પ્રશ્નનો જલ્દીથી જવાબ આપશો. હું રાહ જોઇશ. શરમના કારણે ફોન પર વાત કરી શકતી નથી કે રૂબરૂ આવવું શક્ય નથી .. તો માર્ગદર્શન આપશો.