નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે
આપની હસ્તમૈથુન સંબંધિત જે ફરિયાદ છે તેનો સંતોષકારક જવાબ આપવનો આ મારો પ્રયાસ છે.
૧. યુવાની પંગરે ત્યારે હોર્મોનની અસર ને કારણે તેમજ આસપાસના ઉત્તેજક વાતાવરણ, ફિલ્મો, વાતચીત અને વાંચન વગેરે ને કારણે સેક્સ હોર્મોન સક્રિય થવાને કારણે કામોત્તેજના થવાની શરૂઆત થાય છે અને લગ્ન પહેલાં આ કામોત્તેજના ના સંતોષ માટે હસ્તમૈથુન એ સરળ અને સુરક્ષિત માધ્યમ છે. જેને કારણે યુવાનો અને થોડા ઘણાં અંશે યુવતી પણ હસ્તમૈથુન દ્વારા કામોત્તેજના ને શાંત કરે છે.
૨. એક દ્રષ્ટિએ જોઇએ તો હસ્તમૈથુન એ એક સામાન્ય સ્થિતિ છે અને તે સ્વાભાવિક છે. તેથી હસ્તમૈથુન ની આદત હોવી એ એક ગંભીર પ્રશ્ન નથી, પણ યોગ્ય મર્યાદામાં અને નિયંત્રિત સ્થિતિમાં તે એક રીતે તો ફાયદાકરક છે.
ફાયદાઓ ઃ (નિયંત્રિત આવસ્થામાં - સામાન્ય રીતે મહિનામાં બે વાર અને વધુમાં વધુ અઠવાડિયે એક વાર)
૧. કામોત્તેજના શાંત થવાની અભ્યાસમાં અને કામમાં કેન્દ્રિત થઇ શકાય છે.
૨. હસ્તમૈથુનથી કામવાસના સંતોષાવાથી અન્ય કોઇ માધ્યમ કે પાર્ટનરની આવશ્યકતા ન રહેતાં વ્યભિચાર થી બચી શકાય છે. અન્ય સાથે અસમાજિક રીતે બાંધેલ શારીરિક સંબંધ કાંતો સ્વચ્છંદી બનાવે છે અથવા તો કાયમ માટે મનમાં અપરાધભાવ રહેવાની સંભાવના રહે છે.
૩. વળી, આના કારણે અન્યત્ર સેક્સ સંબંધની જરુર ન રહેતાં સેક્સ સંબંધિત ચેપી રોગો થવાની શક્યતા પણ ન રહે અને સમય બચે તો કારકિર્દી માટે પણ વધારે સમય અને પૈસા બચાવી શકાય છે.
૪. યુવતીઓમાં હસ્તમૈથુન થકી કામોત્તેજના શાંત થવાથી તેની સમાજિક બદનામી અને ગર્ભપાત જેવી સમસ્યામાંથી અને ચારિત્ર્ય ખંડનમાંથી બચી શકાય છે.
ગેરફાયદા ઃ
૧. વધારે પડતાં હસ્ત્મૈથુનથી સંતોષ ન થવાને કારણે વધુ ને વધુ ઉત્તેજના મેળવવાની લ્હાયમાં તે વધારે ને વધારે સપડાયા કરે છે. તેથી તેના ઉપર સ્વયંનું નિયંત્રણ આવશ્યક છે.
૨. વધારે પડતાં હસ્તમૈથુનને કારણે વીર્યનાશ થાય છે અને આયુર્વેદના મતે શુક્ર ધાતુ એ શરીરનો સારભાગ છે. જે શરીરમાં ચમક, કાંતિ અને ઓજસ વધારનાર છે. તે શરીરને પુષ્ટિ આપનાર અને યૌવન જાળવી રાખનાર છે. તેથી તેનો વધુ પડતો નાશ એ નબળાઇ અને અકાળે વૃદ્ધત્વ ની પરિસ્થિતિ પેદા કરે છે.
૩. હસ્તમૈથુનની આદત એ પાચન ક્રિયા પર પણ અસર કરે છે તેને કારણે કબજિયાત , પાચન બરાબર ન થવું, વજન ન વધવું વગેરે સમસ્યા શરૂ થઇ જાય છે.
૪. વધારે પડતા હસ્તમૈથુન ને કારણે લાંબા સમયે અને મારા અનુભવ પ્રમાણે ખાસ કરીને લગ્ન પછી થોડા સમય બાદ અને વધું માં વધુ ૪-૫ વર્ષમાં ઇન્દ્રિયની નસો નબળી પડવાને કારણે શીઘ્રપ્રતન અને ઉત્તેજનાનો અભાવ જેવી સમસ્યા ઊભી થાય છે. જો કે તેનું નિરાકરણ ચોક્કસથી થઇ જાય છે પણ તેની નોબત ન આવે તે જ જરુરી છે.
તેથી હસ્તમૈથુન મહિનામાં બે વાર અથવા અઠવાડિયે એક વાર થાય તો પ્રશ્ન લગભગ નથી રહેતો.
તેને રોકવા માટે તેના કારણો જ દૂર કરવા આવશ્યક છે.
૧. એકલા ન રહેતાં શક્ય હોય ત્યાં સુધી મિત્રોની વચ્ચે જ રહો
૨. ઉત્તેજક વાતવરણ, ફિલ્મો, પુસ્તકઓ, ફોટા થી દૂર રહો
૩. પ્રાણાયામ, પૂજા- પ્રાર્થના વગેરે નિયમિત રીતે રાખો.
૪. કારકિર્દીમાં ખૂબ ધ્યાન આપો.
૫. પોતાને વધુમાં વધુ વ્યસ્ત રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.
આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.
વધુ માહિતી માટે સંપર્ક કરો..
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
facebook : https://www.facebook.com/askayurveda
Twitter : https://twitter.com/atharvaherbal
Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com