નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની જાતિય મૂંઝવણ સંદર્ભે આપે પ્રશ્ન પૂછ્યો છે.
આપને પ્રથમ તો અભિનંદન કે આપ હવે પિતા બનવાનાં છો અને આવી નાજુક પળોમાં આપની પત્નિની મનોદશા અને આવનાર બાળકનો વિચાર કરીને આપે આ પ્રશ્ન કર્યો છે.
ખાસ કરીને સેક્સ સમસ્યા - અંગત સમસ્યા માટે ખુલ્લા મને ચર્ચા અને યોગ્ય માર્ગદર્શન મેળવવા માટે સ્ત્રી કે પુરુષે ખુલ્લા મને પૂછવાનું રાખવું જોઇએ. અને આપના આ અભિગમ માટે આપને અભિનંદન.
૧. ગર્ભાધાન બાદ પ્રથમ ત્રણ મહિના સુધી સેક્સ માણવું એ ખૂબ જ જોખમી છે, આ સમય દરમ્યાન ગર્ભ એ ખૂબ જ નાજુક અવસ્થામાં હોવાને કારણે તેને કોઇ પણ પ્રકારની ઇજા ન થાય તેનું પણ ધ્યાન રાખવું આવશ્યક છે
૨. ચોથા મહિના પછી અન્ય કોઇ તકલીફ ન હોય તો સાતમા કે વધુમાં વધુ આઠમા મહિના સુધી સેક્સ કરી શકય પણ ત્યારબાદ તો તેના પર બ્રેક મારી જ દેવી જોઈએ. છેલ્લા બે મહિના સેક્સ ન માણવામાં આવે તે હિતાવહ છે. કેમ કે એ પછી સેક્સ ચાલુ રાખવામાં કસુવાવડ, ગર્ભને સમસ્યા, યોનિમાર્ગમાં ચેપ, અધૂરા મહિને જન્મ સહિતની સમસ્યાઓ થઈ શકે છે.
૩. ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રીઓની સેક્સની ઇચ્છા ઓછી થાય છે, તેથી સમાગમનું પ્રમાણ સામાન્ય રીતે ઘટાડવું જ જોઇએ. ક્યારેક કોઇ સ્ત્રીઓમાં કામોત્તેજના ગર્ભાવસ્થામાં વધતી જોવા મળે તેવા સંજોગોમામ પણ ગર્ભાવસ્થામાં સાવચેતી પૂર્વક જ સમાગમ કરવો આવશ્યક બની રહે છે.
૪. સામમ્ન્ય રીતે ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ માસમાં અને અંતિમ ત્રણ માસમાં મુસાફરી પણ ટાળવી જોઇએ તેવા સમયે સમાગમ માટે પણ શક્ય હોય તેટલો સંયમ અંતે સુખરૂપ જ પરિણામ આપે છે.
૫. પ્રેગનન્સી દરમ્યાન ખૂબ જ સમસ્યા હોય, ગર્ભ રહેવામાં તકલીફ પડી હોય, અગાઉ કસુવાવડ થયેલી હોય આવા સંજોગોમાં ખાસ સમાગમ ટાળવો જોઇએ.
૬. ગર્ભાવસ્થા દરમ્યાન સમાગમ સમયે વધારે જોરથી ધક્કો ન મારતાં ખૂબ જ હળવેથી લિંગ પ્રવેશ કરાવીને સમાગમ માણવો જોઇએ.
૭. સમાગમ માટેના આસનો તેવા પસંદ કરવા જોઇએ કે જેમાં સ્ત્રીના પેટ પર ભાર ન આવે. તેના માટે પાછળના ભાગથી સમાગમ, સ્ત્રી ઉપર અને પુરૂષ નીચે રહે, સાઇડમાંથી યોનિ પ્રવેશ જેવા આસનોનો ઉપયોગ કરવો જોઇએ,
૮. જો વધારે તકલીફ હોય તેવા સમયે હસ્તમૈથુન કે મુખ મૈથુન જેવા વિકલ્પનો ઉપયોગ વધારે હિતાવહ બની રહે છે.
વધુ માહિતી માટે તથા જાતિય સમસ્યાના માર્ગદર્શન માટે - કાઉન્સેલીંગ માટે..
વધુ માહિતી માટે સંપર્ક કરો..
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
facebook : https://www.facebook.com/askayurveda
Twitter : https://twitter.com/atharvaherbal
Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com