વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

29,863 users

મારી પત્નિને યોનીમાંથી સફેદ પાણી નિકળે છે જરૂરી માર્ગદર્શન આપવા વિનંતી.

મારી ઉંમર ૨૩ વર્ષ છે, મારા લગ્નને બે વર્ષ થયા છે. લગ્ન પછીના સમયમાં મારી પત્નિને યોની માંથી સફેદ પાણી નિકળે છે અને પેસાબ કરતી વખતે યોનિમાં બળતરા પણ થાય છે. આવું થવાનુ કારણ શું હશે ?

તેને અટકાવવાના ઉપાય અને જરુરી માર્ગદર્શન આપવા વિનંતી.

asked May 4, 2014 in માસિક સંબંધી સમસ્યા by Maitrak Pratik
recategorized Jun 23, 2014 by admin
Q 1 A 0 C 0
    

1 Answer

નમસ્તે

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપની સમસ્યા પ્રમાણે

આપના બે વર્ષના લગ્નજીવનમાં તમારા પત્નિને લગ્ન બાદ અર્થાત જાતિય ક્રિયામાં સક્રિય થયા બાદ યોનિમાંથી સફેદ સ્ત્રાવ થવાની તકલીફ ઉભી થઇ છે અને સાથે સાથે તેમને પેશાબમાં પણ બળતરાં થાય છે.

તેમની આ સમસ્યા એ સંપૂર્ણ રીતે મટી શકે તેમ છે. મોટેભાગે આ પ્રશ્ન સેક્સને કારણે યોનિમાર્ગમાં લાગતા ચેપને કારણે છે અને ઉપરાંત સફેદ પાણી પડવાની સમસ્યા એ યોનિમાર્ગની તકલીફને આભારી છે.

આ પ્રશ્નના ઉકેલની સાથે સાથે ફરીથી ન થાય તેનું ધ્યાન રાખવું એટલું જ આવશ્યક છે.

નીચે પ્રમાણે ના ઔષધો આપ ૩-૪ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.

૧. પુષ્યાનુગ ટેબલેટ બે ગોળી બે વાર

૨. અમ્લપિત્તહર ટેબલેટ બે ગોળી બે વાર

૩. એમ ટુ ટોન સિરપ ૧૦ મિલિ બે વાર

૪. ચંદ્રપ્રભાવટી ટેબલેટ બે ગોળી બે વાર

૫. Syrup Acitra ૧૦ મિલિ બરાબર હલાવીને ત્રણ વાર

૬. પંચવલ્કલ ચુર્ણને ગરમ પાણીમાં એક ચમચી નાંખીને તે પાણીથી યોનિમાર્ગની અંદર સુધી સફાઇ કરવી.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.

અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

પંદર દિવસ સુધી સમાગમ કરવો નહિં.

સમાગમ પહેલા બંન્ને ના જાતિય અવયવો ને સારી રીતે સાફ કરીને જ સંબંધ બાંધવો.

જરૂર પડ્યે આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.

૧. ડૂશ અને પિચુ

૨. ઉત્તર બસ્તિ કર્મ

નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

http://www.jsdl.in/DT-1111QEBKV7


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે

આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

answered Jul 15, 2014 by admin
edited Apr 10, 2018 by admin

Related questions

1 answer 42,810 views
42,810 views asked Sep 15, 2013 in જાતિય મૂંઝવણ by Swapna
1 answer 14,126 views
14,126 views asked Jan 7, 2014 in જાતિય શિક્ષણ by Ritesh rana
1 answer 2,206 views
2,206 views asked Aug 5, 2013 in વંધ્યત્વ by Dipal J. Ajudiya
1 answer 3,568 views
3,568 views asked Sep 15, 2015 in જાતિય મૂંઝવણ by Bhupat Nai
1 answer 1,031 views
1,031 views asked May 25, 2013 in વૃદ્ધાવસ્થાનાં રોગો by RIDDHI
1 answer 3,371 views
3,371 views asked Feb 16, 2018 in જાતિય મૂંઝવણ by sanjaysavaliya1991
1 answer 678 views
678 views asked Sep 26, 2013 in માસિક સંબંધી સમસ્યા by ridham
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...