નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે
આપના બે વર્ષના લગ્નજીવનમાં તમારા પત્નિને લગ્ન બાદ અર્થાત જાતિય ક્રિયામાં સક્રિય થયા બાદ યોનિમાંથી સફેદ સ્ત્રાવ થવાની તકલીફ ઉભી થઇ છે અને સાથે સાથે તેમને પેશાબમાં પણ બળતરાં થાય છે.
તેમની આ સમસ્યા એ સંપૂર્ણ રીતે મટી શકે તેમ છે. મોટેભાગે આ પ્રશ્ન સેક્સને કારણે યોનિમાર્ગમાં લાગતા ચેપને કારણે છે અને ઉપરાંત સફેદ પાણી પડવાની સમસ્યા એ યોનિમાર્ગની તકલીફને આભારી છે.
આ પ્રશ્નના ઉકેલની સાથે સાથે ફરીથી ન થાય તેનું ધ્યાન રાખવું એટલું જ આવશ્યક છે.
નીચે પ્રમાણે ના ઔષધો આપ ૩-૪ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.
૧. પુષ્યાનુગ ટેબલેટ બે ગોળી બે વાર
૨. અમ્લપિત્તહર ટેબલેટ બે ગોળી બે વાર
૩. એમ ટુ ટોન સિરપ ૧૦ મિલિ બે વાર
૪. ચંદ્રપ્રભાવટી ટેબલેટ બે ગોળી બે વાર
૫. Syrup Acitra ૧૦ મિલિ બરાબર હલાવીને ત્રણ વાર
૬. પંચવલ્કલ ચુર્ણને ગરમ પાણીમાં એક ચમચી નાંખીને તે પાણીથી યોનિમાર્ગની અંદર સુધી સફાઇ કરવી.
બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
પંદર દિવસ સુધી સમાગમ કરવો નહિં.
સમાગમ પહેલા બંન્ને ના જાતિય અવયવો ને સારી રીતે સાફ કરીને જ સંબંધ બાંધવો.
જરૂર પડ્યે આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
૧. ડૂશ અને પિચુ
૨. ઉત્તર બસ્તિ કર્મ
નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.
આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.
વધુ માહિતી માટે સંપર્ક કરો..
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
facebook : https://www.facebook.com/askayurveda
Twitter : https://twitter.com/atharvaherbal
Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com