નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપને ખીલની સમસ્યા છે.
સામાન્ય રીતે યુવાવસ્થાની શરૂઆતમાં ખીલ થવા એ સ્વાભાવિક છે અને તેનું મુખ્ય કારણ એ અંતઃસ્ત્રાવોમાં આવતા બદલ ને કારણે છે. આ ઉંમરમાં બજારના નાસ્તા, ખાવા-પીવાની ખોટી આદતો તથા ઉજાગરા વગેરે આને ઝડપથી વધારી દે છે, આવા સમયે આ બધી બાબતો પ્રત્યે સભાન રહીને થોડા આયુર્વેદના ઔષધોનું સેવન કરવામાં આવે તો આ સમસ્યામાંથી બહાર નિકળી શકાય છે. સામન્ય સંજોગોમાં થોડા પ્રમાણમાં ખીલનાં દાણા તો નિકળે જ છે પણ દવાને કારણે રક્ત શુદ્ધિ થતી રહેવાથી ખાડા પડવાનાં કે ડાઘ પડવાના સંજોગો બનતા નથી
નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.
૧. મહા મંજીષ્ઠાદિ ઘન વટી બે ગોળી બે વાર જમ્યા પછી.
૨. અમ્લપિત્તહર ટેબલેટ બે ગોળી બે વાર
૩. વાસા ઘનવટી બે ગોળી બે વાર
૪. કિશોર ગુગલ ટેબલેટ બે ગોળી બે વાર
૫. Syrup Japonica ૧૦ મિલિ બરાબર હલાવીને ત્રણ વાર
૬. રાત્રે સૂતી વખતે ત્રિફળાં ચૂર્ણ એક ચમચી હૂંફાળાં પાણી સાથે.
૭. ફેસપેક ગુલાબજળ સાથે લગાવવા માટે - દિવસ દરમ્યાન જ ઉપયોગ કરવો.
બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
૧. વિરેચન કર્મ
૨. વમન કર્મ
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.
આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.
વધુ માહિતી માટે સંપર્ક કરો..
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
facebook : https://www.facebook.com/askayurveda
Twitter : https://twitter.com/atharvaherbal
Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com