હોમ પેજ
સુવર્ણપ્રાશન સંસ્કાર - એક સંપૂર્ણ ભારતીય પરંપરા
સુવર્ણપ્રાશન સંસ્કાર - એક સંપૂર્ણ ભારતીય પરંપરા
આપણી ભારતીય સંસ્કૃતિએ કેટકેટલાય મહાપુરૂષો, સંતો, શૂરવીર, બૌદ્ધિકો આ સમાજને અર્પણ કર્યા છે, અને તે માટે તેમણે કેટકેટલાય પ્રયત્નો કર્યા હતા. સ્વસ્થ અને નિરોગી સમાજ માટે આજે સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને સરકાર પણ વિચાર કરે જ છે અને તેના માટે સતત પ્રયત્નો પણ ચાલે જ છે. અબજો રૂપિયાનું બજેટ આજે WHO દ્વ્રારા પ્રત્યેક દેશને અપાય છે. અલગ અલગ પ્રકારના કેમ્પો, રાહતો અને ફરજિયાત રસીકરણના કાયદા થકી તેમણે સારો પ્રયત્ન કર્યો છે. પણ તે પ્રયત્નની સરખામણીમાં પરીણામ બહુ અલ્પ માત્રામાં જોવા મળે છે. સમાજ માં આરોગ્યના સંદર્ભે સ્વસ્થતા જરૂર વધી છે. પણ માનસિક અને સંસ્કારની સ્વસ્થતાનું શું?
વૈદ્ય આવો, નિર્માલ્ય, અબુધ અને અસંસ્કારી સમાજ લાંબુ આયુષ્ય મેળવીને પણ સુખી કેવી રીતે થશે? આખા વિશ્વમાં સૌથી પ્રાચીન અને સમગ્ર વિશ્વને ચિકિત્સા અંગે માર્ગદર્શન અને મહત્વના સિદ્ધાંતોની ભેટ ધરનાર આયુર્વેદના સિદ્ધાંતો આજે પણ બદલાયા નથી અને તેની દવાઓ આજે પણ અસર કરે જ છે. (આધુનિક વિજ્ઞાનમાં દર પાંચ વર્ષે સિદ્ધાંત અને મંતવ્યો બદલાય છે. અમૃત સમાન ઔષધ એકાએક ઝેરી બની જાય છે. માતાનું ધાવણ ક્યારેક ન જ આપવું એવું માનતો વર્ગ પછીથી તે જ માતાનું ધાવણ અમૃતતુલ્ય છે તે સમજાવવા અબજો રૂપિયાની જાહેરાતો કરે છે.)
તો, ખરેખર સ્વસ્થ સમાજ કેવો હોઇ શકે? તેની કલ્પના આપણાં ઋષિઓએ સિદ્ધ કરીને બતાવ્યું છે. તે વખતે પણ આળસુ પ્રજા હશે જ, કે જે આ માટે જાગૃત નહિં જ હોય, તેથી જેમ આજે સરકાર કાયદો કરે છે તેમ તે વખતે કાયદાથી આપેલી વાત લાંબી ટકતી નથી અને તે કાયદો કોઇપણ ફેરવી શકે, તેથી આપણાં ઋષિઓએ આરોગ્ય જાળવણીના ઉપાયને સમજપૂર્વક અને ભાવપૂર્વક સંસ્કારના એક ભાગ રૂપે ગણાવીને તેને જીવનઓ અભિન્ન ભાગ બનાવી દીધો. તેથી જ આપણાં ઘણાં બધાં રિવાજો આજે આપણને સમજાતાં નથી પણ તે રિવાજ સ્વરૂપે એવા તો ગોઠવાઇ ગયા છે કે વડીલોનું માન રાખવા ખાતર પણ આપણે તેને માન્યતા આપીએ છીએ. આજે આપણે તેમાનાં એક સંસ્કારને સમજવાનો પ્રયત્ન કરીશું. અને તે એટલે સુવર્ણપ્રાશન સંસ્કાર…
ષોડશ સંસ્કાર - આયુર્વેદ અને આધ્યાત્મનો સમન્વય
ભારતીય સંસ્કૃતિ એ આદર્શ સમાજજીવનની દ્યોતક છે. આદર્શ પુરૂષ, આદર્શ પરિવાર અને આદર્શ સમાજ ની સાથે સાથે સાંસ્કૃતિક મૂલ્યોનું બીજારોપણ પેઢી દર પેઢી થાય તેના માટે સતત જાગૃત એવી આપણી આ ભારતીય સંસ્કૃતિ છે. આદર્શ ભારતીય જીવન પ્રણાલીની પાછળ રામ-કૃષ્ણ જેવા અવતારો અને મનુથી શરૂ કરીને વશિષ્ઠ, વાલ્મિકી, પરાશર, વિશ્વામિત્ર, યાજ્ઞવલ્ક્ય જેવા તપોનિષ્ઠ ઋષિઓના જીવનોનાં યોગદાન રહ્યાં છે. ભારતીય જીવનપ્રણાલીમાં આદર્શ જીવન માટેનો આગ્રહ પણ એટલો જ પ્રત્યેક પરિવારમાં હતો, અને તેનું જ તો પરિણામ વ્યક્તિમાં, પરિવારમાં અને સમાજમાં જોવા મળતું હતું. જે આજે પણ જીર્ણ અવસ્થામાં જીવંત રહ્યું છે તેનું કારણ એ જ કે એ સંસ્કારો આજે પણ રંગસૂત્રોમાંથી નીકળી શકતાં નથી.
આ જ કારણે આજે પણ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જેને આદર છે અને સંસ્કારોનું જેને મન મહત્વ છે અને તેને પ્રાપ્ત કરવા માટે થોડું વેઠવાની અને માનસિક રીતે તૈયાર રહેવાની જેની તૈયારી છે તેના નવદંપતિ માટે આશીર્વાદ રૂપ બની રહે તે અર્થે આ પોસ્ટ અર્પણ કરી રહ્યો છું.
તાજા આમળાં અને 50 જેટલા ઔષધોથી પરિપૂર્ણ સ્વાસ્થ્ય ટોનિક - ચ્યવનપ્રાશ
ચ્યવનપ્રાશ એક રસાયન -
यत्त जराव्याधि नाशनम् - तद् रसायनम् - જે વૃદ્ધાવસ્થા અને રોગનો નાશ કરે છે તે રસાયન કર્મ કરનાર ઔષધ કહેવાય.
મતલબ કે ચ્યવનપ્રાશનો નિયમિત ઉપયોગ એ ઘડપણ આવતું અટકાવે છે.
ચ્યવનપ્રાશ એન્ટીએજીંગ - ઘડપણ અટકાવનાર - એટલે કે
- અશક્તિ-વૃદ્ધાવસ્થા દૂર કરી યુવાની-તાકાત આપે. મતલબ કે તમે ફરીથી જુવાન થઇ જશો, વાળ કાળા થઇ જશે અને તેવી જ તાકાત આવી જશે એવો ચમત્કાર નથી. પણ ચ્યવનપ્રાશ નો નિયમિત ઉપયોગ ચોક્ક્સ આરોગ્યવર્ધક ફાયદાઓ કરાવનાર અને શરીરને ઘડપણ તરફ સરકતું અટકાવનાર તો છે જ.
- શરીરની વૃદ્ધાવસ્થાને લીધે નબળી પડતી જતી વિવિધ ઇંદ્રિયો જેમ કે આંખે દેખાવાનું, કાને સંભળાવવાનું વગેરે નબળું થતું અટકાવે છે અને દૂર ધકેલે છે.
- પાચન શક્તિ ને પ્રબળ બનાવીને વધુ શક્તિ આપનાર છે.
- ઓજ, બળ, કાંતિ, તેજ ને શુક્ર વધારનાર છે.
- વજન ન વધતું હોય તેને પુષ્ટ કરનાર છે.
- સ્મૃતિ વધારનાર છે.
- શરીરના પ્રત્યેક કોષ, ઇન્દ્રિયો અને અવયવોને પોષણ આપનાર છે.
- વાયુ, પિત્ત અને કફ - ત્રણેય દોષોને સમ અવસ્થામાં લાવનાર છે.
- ત્વચાનો વર્ણ - ચમક, વાળનો જથ્થો - ચમક અને રંગને સુધારનર છે,
- રોગપ્રતિકાર ક્ષમતા વધારનાર અને મનોબળ -ધીરજ જેવા માનસિક બળ ને પણ વધારે છે.
- શરીરની સાતે સાત ધાતુનું યોગ્ય પોષણ કરીને અંતિમ શુક્ર ધાતુનું પણ પોષણ કરે છે.
- ઓછા શુક્રાણુ અને કામશક્તિની ઊણપ માટે પણ આ કાયમ સેવન કરવા યોગ્ય રસાયન છે.
- સ્ત્રીઓના વિવિધ રોગોમાં અને અશક્તિ આવી ગઇ હોય તેવી અવસ્થામાં, ઉપરાંત માસિકધર્મને લગતી સમસ્યામાં પણ આ એક ઉત્તમ ટોનિક છે.
- પાચનશંક્તિ સુધારવાને કારણે લાંબા ગાળે જૂની કબજિયાત પણ મટાડે છે.
- શરીરની માંસ પેશી અને સ્નાયુને મજબૂતાઇ આપવાનું કામ કરે છે.
વંધ્યત્વ – એક જટિલ સમસ્યા (વાંઝિયા મહેણું ટાળો ...)
પ્રત્યેક દંપત્તિ માટે જીવનની સૌથી અમૂલ્ય ભેટ એટલે પોતાનું સંતાન, પણ કેટલાક દંપતિને તે ન મળે ત્યારે બધા જ સ્વપ્નો રગદોળાઇ જાય છે અને જીવન નિરાશાથી ઘેરાઇ જાય છે. વંધ્યત્વ - વાંઝીયાપણું એ ખૂબ જ નિરાશાજનક અને ડરામણો અનુભવ છે. ખાસ કરીને સ્ત્રીઓ માટે તે સામાજિક અને વ્યવહારિક પ્રસંગોમાં સગા સંબંધી દ્વારા કરવામાં આવતી પૃચ્છા અત્યંત ત્રાસદાયક બની રહે છે. અને ત્યાંથી શરૂ થાય છે વ્યથાની એક સફર...
આ વંધ્યત્વનો સામનો કેવી રીતે કરવો?
આ સ્થિતિમાં નિરાશ થવાની જરૂર નથી; જરૂર છે રોગની વૈદ્યકીય અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજણ કેળવવાની, અંધશ્રદ્ધા અને વહેમોથી દૂર જઇને વૈજ્ઞાનિક પરિક્ષણો દ્વારા રોગોના કારણો જાણી, સમજી તેમાં ધીરજપૂર્વકનો પ્રયત્ન એ જ તેના ઇલાજનો માર્ગ છે.
વંધ્યત્વ કોને કહીશું?
કોઇપણ પ્રકારના ગર્ભનિરોધક સાધન કે ગોળીનો ઉપયોગ કર્યા વિના નિયમિત સમાગમ બાદ એક વર્ષ પછી પણ ગર્ભધારણ ન થાય તો આવી પ્રજનનની અશક્તિ વંધ્યત્વ તરીકે ઓળખાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના સર્વેક્ષણ અનુસાર સમગ્ર વિશ્વના કુલ દંપતિ પૈકી ૧૫ થી ૨૦ % દંપતીને વંધ્યત્વનો સામનો કરવો પડે છે. એટલે કે દુનિયાભરમાં ૧૦ થી ૧૨ કરોડ દંપતિ વંધ્ય છે.
વધુ વંચાયેલ
સંદર્ભિત માહિતી
નવીન સમાચાર
મુલાકાતો
- Users
- 18252
- Articles
- 45
- Articles View Hits
- 212494