દેવદાર (Cedrus Deodara)

Share with:


દેવોનો પ્રદેશ એટલે હિમાચલ પ્રદેશ – હિમાલય પ્રદેશમાં થતું આ દેવોની જેમ જ ભદ્ર જણાતું, દેવોની ઊંચાઇની જેમ ૨૦૦-૨૫૦ ફૂટ ની ઊંચાઇ સુધી પહોંચનાર આ દેવદાર એ દિવ્ય છે.
ભદ્રદારું એ તેની કલ્યાણકારકતા – શ્રેષ્ઠતાનો નિર્દેશ કરે છે. શંકુ આકારનું ઉપરથી દેખાતું આ ૨૦૦-૨૫૦ ફૂટ ઊંચું વૃક્ષ એ ભવ્ય અને સુંદર દેખાય છે. ત્રીસ – ચાલીસ વર્ષનું થાય તે પછી તો તેને ફલ આવે છે. સો- બસો વર્ષ સુધીનું આયુષ્ય ધરાવતું આ દેવદારનું વૃક્ષ જેમ જૂનું થાય તેમ વધુ ને વધુ મજબૂત બનાવે છે. તેલથી ભરપૂર હોવાથી તેનું લાકડું લીસું અને ચમકદાર જણાય છે. વળી સુગંધીદાર તેલ તેમાં હોવાથી તે વધારે આહ્લાદક જણાય છે.

Devdar wood
દેવદારનો ઉપયોગ અલગ – અલગ રીતે થાય છે. પ્રાય તે યજ્ઞ, હોમ, હવનમાં સમીધ તરીકે વપરાય છે તો તેનું મજબૂત લાકડું એ ધનવાન લોકોના ફર્નિચરની શોભા વધારે છે. તેમાંથી નિકળતા ટર્પેન્ટાઇન તેલ નો ઉપયોગ તો કલરકામથી લઇને અગણિત છે. વળી ધૂપ કરવાથી વાતાવરણને સુગંધિત બનાવનાર છે. આમ તેના ઉપયોગ જોઇએ તો પણ અતિમૂલ્યવાન દેવદાર એ વધુને વધુ ઉછેરવા યોગ્ય છે. જંગલોમાં તે સદીઓથી સચવાયેલું છે પન ભૌતિકતાનાં ભરડામાં કપાતાં જંગલોમાં તેની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી જાય છે તે આપણાં માટે એક દુઃખદ સમાચાર છે. સરકાર પણ જો તેનો કોમર્શીયલ વિચાર કરીને વાવેતર કરવાનું શરૂ કરે તો આજે નહીં પણ સો- બસ્સો વર્ષ પછીની આપણી ચોથી-પાંચમી પેઢીમાં જો સંસ્કાર બચ્યા હશે તો અવશ્ય આશીર્વાદ આપશે – યાદ કરશે. પણ આજનું જ વિચારનારાં એ ભૂલી જાય છે કે જે આંબાની કેરી આજે ખાઇ રહ્યાં છીએ તે આંબો આપણે વાવ્યો જ નથી.


Cedrus Deodara ના લેટિન નામવાળું આ સંપૂર્ણ ભારતીય વૃક્ષ તેના ઔષધિય ગુણને કારણે વૈદ્યોનું હંમેશા પ્રિય જ રહ્યું છે. વાયુનો નાશ કરનાર, સ્તન્ય (ધાવણના દોષોને દૂર કરનાર) શોધન કર્મ ને કારણે ખાસ કરીને સુવાવડી સ્ત્રીઓ માટે એ એક આશીર્વાદ સ્વરૂપ જ છે.

લઘું ( હલકું) અને સ્નિગ્ધ ગુણ અને સ્વાદમાં કડવું દેવદારની મોટાભાગે છાલનો જ ઉપયોગ થાય છે. તે સ્વભાવે ઊષ્ણ છે અને પચવામાં તીખું છે.

વિવિધ કર્મોનો વિચાર કરીએ તો તે સોજા મટાદનાર, વેદના-સ્થાપક, વેદના દૂર કરનાર, કુષ્ઠઘ્ન – ચામડીના રોગોને દૂર કરનાર, કફ શામક, વ્રણરોપણ, કૃમિનો નાશ કરનાર, હ્રદયને ઉત્તેજીત કરનાર તેમજ સુગંધિ હોવાને કારણે કફને બહાર કાઢનાર અને કફની દુર્ગંધને દૂર કરનાર.
દેવદારૂં એ લેખન કર્મ કરનાર હોઇ સ્થૌલ્યના રોગોમાં પણ એક અક્સીર ઔષધ તરીકે વાપરી શકાય તેમ છે.
તેનો કુષ્ઠઘ્ન ગુણ એ વિવિધ પ્રકારના ત્વક્ વિકારને દૂર કરનાર છે અને સ્વેદજનન તરીકે પણ ઉપયોગી હોવાથી જ્વરાદિ અવસ્થામાં તેનું બાહ્ય – આભ્યંતર ઉપયોગ કરવામાં આવે છે.

devdar
ઉપયોગ – 
૧. ઉરુસ્તંભ પર – દેવદારને ઘસીને તેનો ગરમ લેપ કરવો.
૨. કફજ ગલગંડ ઉપર – દેવદાર અને ઇન્દ્રવારુણી ના મૂળ પાણીમાં વાટીને લેપ કરવો.
૩. સુવાવડી સ્ત્રી માટે – દેવદાર, તજ, કઠ, પીપર, સૂંઠ, કાયફળ, નાગરમોથ, કરિયાતું, કડુ, ધાણા, હરડે, ગજપીપર, ભોરીંગણી, ગોખરું. ધમાસો, અતિવિષ, ગળો,બીલી, શાહજીરૂં આ બધાનો ઉકાળો કરીને સુવાવડી સ્ત્રીને ખવડાવવાથી શૂળ (વેદના), શ્વાસ, ઉધરસ, તાવ, કફ, તરસ, અતિસાર, ઉલ્ટી, વગેરેમાં ફાયદો થાય છે.

૪. સ્થૌલ્ય – દેવદાર એ લેખન કર્મ કરે છે તેથી સ્થૂળતા મટાડવા માટે – વજન ઘટાડવા – વધારાની ચરબી દૂર કરવા માટે દેવદારની છાલનો ઉકાળો પીવા તથા દેવદારના બારિક ચૂર્ણનું ઉદ્વર્તન કરવાથી સ્થૂળતા ઓછી થાય છે. સાથે સાથે પથ્યપાલન તેટલું જ આવશ્યક છે.
૫. જવર – પરસેવો લાવનાર – સ્વેદજનન કર્મને લીધે તે તાપમાન ઘટાડે છે. દેવદારને લસોટીને તેનો આખા શરીરે લેપ કરવાથી તથા ઉકાળી પીવાથી તરત જ પરસેવો છૂટવા લાગે છે અને પરસેવો થવાને કારણે તીવ્ર સંતાપમાં રાહત થવા લાગે છે. વળી તે આમપાચન કરનાર હોવાથી જ્વરને મટાડવામાં પણ લાભદાયી છે.


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

Share with:


Comments

Leave a Reply