સ્થૌલ્ય - વજન ઘટાડવાની પરેજી

Category: આહાર-પરેજી Published: Monday, 11 January 2016 Written by Dr. NIkul Patel

માત્ર ઔષધોથી જ રોગ મટતો નથી તેની સાથે પરેજીનું પાલન કરવાથી જ રોગ મૂળમાંથી મટી શકે છે.

આહાર -

• તીખું, ખારૂં, ખાટું બિલકુલ ઓછું લેવું.

• વાસી ખોરાક ન લેવો

• મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી.Over Weight

• અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ ન લેવી.

• દહીં, છાશ, લિંબુ, ટામેટાં, આમલી, કોકમ વગેરે તમામ ખટાશ બંધ કરવી

•દિવસે ન સૂવું.

• બહારનાં નાસ્તાથી દૂર રહેવું.

• મેદ એ જળમહાભૂત હોવાથી વધારે પ્રમાણમાં અને ફ્રીજનું પાણી પિવાથી શરીરમાં જળમહાભૂતની વૃદ્ધિ થાય છે તેથી તરસ લાગે તેટલું જ પાણી પીવું. સવારે નરણાં કોઠે માત્ર એક અંજલિ એટલે કે એ ખોબામાં સમાય તેટલું જ પાણી શરીર માટે હિતકારક છે. વધારે માત્રામાં પિવાયેલું પાણીને જઠરાગ્નિને મંદ કરે છે.

•દિવસે સુવાથી તેમજ સવારે મોડા ઉઠવાથી વજન વધે છે.

• સવારે નિયમિત કસરત કરવી ( પરસેવો પડે ત્યાં સુધી)

• તેલ, ઘી, ચીઝ, માખણ, પનીર વગેરેથી દૂર રહેવું. મિઠાઇ, ફ્રીજની વસ્તુઓ, શિખંડ વગેરેથી દૂર રહેવું.

• બાફેલા મગ  સૌથી વધારે હિતકારી છે. નાસ્તામાં બાફેલા મગ, મમરા, ખાખરા, ધાણી, ફૂલકાં રોટલી વગેરે લઇ શકાય.

• મધનો પ્રયોગ = મધ ને લિંબુ કે ગરમપાણી સાથે ક્યારેય ન લેવાય. ચોખ્ખું મધ બે ચમચી સાદા માટલાના અર્ધા ગ્લાસ પાણીમાં મિક્સ કરીને રાત્રે મૂકી દેવું અને તે સવારે પી જવું અને તે જ રીતે સવારે મિક્સ કરીને મૂકેલ પાણી રાત્રે સૂતી વખતે પી જવું. 

વિરુદ્ધ આહાર:

• વિરુદ્ધ આહાર એ મોટાભાગના રોગ કરનારો છે, તેથી તેનાથી દૂર રહેવું.

• દૂધ સાથે કોઇપણ ફળો, દહીં, છાશ, લસણ, ડુંગળી, મૂળાં, ગોળ તેમજ બધી જ ખટાશ એ વિરુદ્ધ આહાર છે. દહીં સાથે ગોળ, મૂળાં વિરુદ્ધ આહાર છે.

• દહીં વજન વધારનારૂ અને શરીરની તમામ નળીઓમાં અવરોધ કરનારું છે. તેથી રોગી માણસે તેનું સેવન ન કરવું.

વધુ માહિતી માટે સંપર્ક કરો..


વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી..એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી .૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


Whatsapp - Send 'AYU' Message to +91-9825040844

Telegram - Join our channels -

Facebook - www.facebook.com/atharvaherbalclinic

Twitter - www.twitter.com/atharvaherbal

Instagram - www.instagram.com/atharvaherbalclinic

Pinterest - www.pinterest.com/atharvaherbalclinic

Online Appointment http://bit.ly/2K5uJL6


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com


જળપાન અને આયુર્વેદ

 

Hits: 1865

મુલાકાતો

Users
18252
Articles
45
Articles View Hits
212984

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs